પુલવામા માં થયેલા આતંકી હમલા માં ભારતીય વાયુસેના એ આપણા 40સીઆરપીએફ જવાનો ની શહીદી નો બદલો લીધો.આ ખબર પછી થીજ આખો દેશ જશ્ન મનાવી રહ્યો છે અને સરકારે કહ્યું કે આ ખાલી શરૂઆત છે જો ફરી નડશો તો ફરી ઘર માં ઘુસી ને મારીશું.આ બદલા પછી પાકિસ્તાન દ્વારા એક આપતકાલીન મિટિંગ બોલાવવા માં આવી હતી પણ તમને જણાવી દઈએ કે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.જે સમયે એલર્ટ રહ્યું ત્યારે પાકિસ્તાન સુઈ રહ્યું હતું એ સમયે ઇન્ડિયન એરફોરસે આતંકીઓ ના કેમ્પ ને ઉડાડી નાખ્યા.ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહેલા પાકિસ્તાની ફાઇટર જેટ,ખબરો માં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાને F16 થી પીછો કર્યો હતો.
ઇન્ડિયન એરફોર્સ ની સામે ઊભા રહ્યા પાકિસ્તાની ફાઇટર જેટ
POK માં ભારતીય વાયુસેના ના હુમલા પછી એવી ખબરો આવી રહ્યા છે કે પાકિસ્તાને વાયુસેના ને રોકવા માટે F16 વિમાન નો ઉપયોગ કર્યો હતો.પણ ભારતીય વાયુસેના ના ફોર્મેશન સામે પાકિસ્તાની વિમાનો કશું જ ન કરી શક્યા અને તેઓ ને પાછું જોવું પડ્યું.રિપોર્ટ પ્રમાણે આ ઓપરેશન ને વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે પુલવામા માં 40 સીઆરપીએફ જવાન પર થયેલા આતંકી હમલા પછી આતંકીઓ ની વિરુદ્ધ આ મોટી કાર્યવાહી છે આમાં પીઓકે માં જૈશ-એ-મહમદ ના 200 થી 250 થી પણ વધારે આતંકીઓ ને મારવામાં આવ્યા અને એરફોર્સ દ્વારા 12 મીરાજ ફાઇટર પ્લેન દ્વારા POK માં ઘુસી અને જૈશ ના 5 આતંકી કેમ્પ ને ઉડાડી નાખ્યા.આ ઓપરેશન ને POK ના બાલાકોટ વિસ્તાર માં અંજામ આપવામાં આવ્યો અને એ વાત ખુદ પાકિસ્તાન દ્વારા પણ માનવામાં આવેલ છે.ખબરો પ્રમાણે આ આખું મિશન 21 મિનિટ ચાલ્યું.
આખા દેશ માં છે જશ્ન નો માહોલ




0 comments:
Post a Comment