ભારતીય વાયુસેનાનાં વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન પાકિસ્તાની સેનાનાં કબ્જામાં છે. તેઓનો જુસ્સો, ભાવના અને દિલેરીની જો વાત કરીએ તો માત્ર પોતાનો દેશ જ નહીં પરંતુ પાકિસ્તાની મીડિયા પણ કરી રહી છે. પાકિસ્તાનનાં પ્રસિદ્ધ સમાચારે પણ તેઓનાં સાહસને બિરદાવી છે. સમાચારે જણાવ્યું કે, કેવી રીતે વાયુસેનાનાં જવાને દુશ્મનોનાં હાથમાં ગુપ્ત દસ્તાવેજ ના લાગવા દીધાં અને પડોશી દેશમાં ભારતને માટે કેટલાંક નારાઓ પણ લગાવ્યાં.
મંગળવારનાં રોજ અભિનંદન મિગ 21 લડાકુ વિમાન પર સવાર હતાં અને પાકિસ્તાની વિમાન F-16નો પીછો કરતા ભૂલથી નિયંત્રણ રેખા (LoC)માં ચાલી ગયાં. તેઓનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને હોરા ગામમાં પડ્યું. પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર LoCથી 7 કિ.મી દૂર પાકિસ્તાન અધિકૃત કશ્મીરનાં ભિમબેર જિલ્લામાં તેઓનું વિમાન ક્રેશ થયું. આ ઘટનાને વિશે પ્રત્યક્ષદર્શી મોહમ્મદ રજ્જાક ચૌધરીએ કહ્યું કે, બુધવારનાં રોજ સવારનાં 8:45 કલાકે તેને આકાશમાં ધુમાડો અને અવાજ સંભળાયો.
58 વર્ષનાં સામાજિક કાર્યકર્તા ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનોમાં આગ લાગી ગઇ હતી પરંતુ તેમાંથી એક નિયંત્રણ રેખાની પાર ચાલ્યાં ગયાં. બીજી બાજુ આગની લપેટમાં ઘેરાતા તેજીથી તે નીચે આવી ગયું. તે વિમાનનો કાટમાળ રજ્જાકનાં ઘરથી એક કિ.મી દૂર જઇને પડ્યો. તેઓએ એક પેરાશુટને જમીન પર આવતા જોયું. જેને તેઓનાં ઘરથી એક કિ.મી દૂર લેંડિંગ કર્યું હતું.
તેઓએ સમાચારપત્રને જણાવ્યું કે, 'એક પાયલટ પેરાશુટથી સકુશળ રીતે બહાર નીકળ્યાં.' તે જ સમયે યુવાઓને કહેવામાં આવ્યું કે, તે પાકિસ્તાની સુરક્ષાદળોનાં આવતા પહેલાં વિમાનનાં કાટમાળની પાસે ન જાય પરંતુ તેઓને ત્યાં પાયલટ મળી આવ્યો. પાયલટ પાસે પિસ્તોલ હતી. તેઓએ યુવાઓને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે હિંદુસ્તાન. આની પર એકે ચાલાકીથી કહ્યું કે, આ ભારત છે. એ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને ભારતનાં ગૌરવમાં કેટલાંક નારા લગાવવાનાં શરૂ કરી દીધાં અને પછી પૂછ્યું કે આ ભારતનું કયું સ્થાન છે
પાયલટનાં પૂછવા પર તે જ યુવા છોકરાએ કહ્યું કે, આ સ્થાન કિલાન છે. પાયલટે કહ્યું કે, તેની પીઠ તૂટી ગઇ છે અને તેઓને પીવા માટે પાણી જોઇએ છે. ત્યારે કેટલાંક યુવા લોકોને આ નારેબાજીને સાંભળી ના શકતા તેઓએ 'પાકિસ્તાની સેના જિંદાબાદ'નાં નારા લગાવ્યાં. આનાં પર અભિનંદને હવામાં ફાયરિંગ કર્યુ અને યુવાઓએ પોતાનાં હાથમાં પથ્થર ઉઠાવ્યાં. રજ્જાકનાં અનુસાર ભારતીય પાયલટ પાછળની દિશામાં અડધો કિમી સુધી ભાગ્યો અને જે છોકરાંઓ તેનો પીછો કરી રહ્યાં હતાં તેઓએ તેનાં પર બંદુક ધરી દીધી.
ભાગતા ભાગતા પાયલટે બીજી વાર હવામાં ફાયરિંગ કર્યું પરંતુ તેનો કોઇ જ ફાયદો ના થયો. ત્યાર બાદ તેઓ પોતે એક નાના તળાવમાં કૂદી ગયાં. તેઓએ પોતાનાં ખિસ્સામાંથી કેટલાંક દસ્તાવેજ અને નકશા નિકાળ્યાં. કેટલાંકને તો ગળવાંની કોશિશ કરી અને બાકીને પાણીમાં પલાળી દીધાં. આ દરમ્યાન છોકરાંઓ સતત તેઓને પોતાનાં હથિયારને ફેંકવાનું કહી રહ્યાં હતાં અને એક છોકરાંએ તો તેઓનાં પગ પર હુમલો પણ કર્યો.
ચૌધરીએ જણાવ્યું કે, છોકરાંઓએ પાયલટનાં બંને હાથ પકડી લીધાં. તેમાંથી કેટલાંકે તો તેઓને માર્યા જ્યારે અન્યએ આવું કરતા તેઓને રોકતા રહ્યાં. એવામાં પાકિસ્તાની સેના ત્યાં આવી અને તેઓને પોતાની ધરપકડમાં લઇ લીધાં અને તે યુવાઓની પકડમાંથી મુક્ત કરાવ્યાં. તેઓએ કહ્યું કે, "ધન્યવાદ છે કે નારાજ છોકરાંઓએ તેઓને ગોળી નથી મારી કેમ કે તેઓએ ઘણી વાર સુધી તો માર માર્યો.' ત્યાર બાદમાં ધરપકડમાં લેવામાં આવેલ પાયલટને સૈન્ય વાહનમાં ભિમબેરનાં સૈન્ય પ્રતિષ્ઠાન લઇ જવામાં આવ્યાં.


0 comments:
Post a Comment